ગોમંડળને પાય લાગીને

ગોમંડળને પાય લાગીને

સાધુબાવા મંદિર ભીતર ઝટિયા ખેંચે
ચોર ઉચક્કા બહાર સૌના જૂતિયા ખેંચે.

ઘાલમેલનો ઘડોલાડવો ઘટિયા ખેંચે
સજ્જન તો ભઈ ! ગલેફ ઢાંક્યા તકિયા ખેંચે.

બિહામણા એક સપનાનાં આ નસકોરાઓ
ભોર લગી હર ખર્રાટા પર ખટિયા ખેંચે.

જીવ-શિવનો દ્વંદ્વ સતત એ રીતે પ્રગટે,
કૂતરાને અવળી વળગેલી કુતિયા ખેંચે.

ચોડી ચુપડી વાણીનો જ્યાં કેફ ઓગળે
ધૂળ ઢેફામાંથીયે રસકસ રસિયા ખેંચે.

ગોમંડળને પાય લાગીને પ્રાસ લઉં છું
ભગવતસિંહજી, ભવાં ભલે સહુ *** ખેંચે.

- વી.કે.

13 Responses to ગોમંડળને પાય લાગીને

  1. himanshupatel555

    ગઝલમાં મારી ચાંચ ડૂબતી નથી કારણ હું અછાંદસનો નહી
    સ્વછંદ કવિતાનો સર્જક છૂ,જ્યારે જ્યારે નવું કાવ્ય મૂકો ત્યારે મને લિંક મોક્લશો. મારું ઇ મેલ તમને મોક્લીશ અને મારા કવ્યો કે લેખો પણ જણાવતો રહીશ.
    http://himanshupatel555.wordpress.com (મારા કાવ્યો)
    http://himanshu52.wordpress.com ( અનુવાદ)
    આભાર.

    • સ્ટે ટ્યુન્ડ ઓન ધિસ બ્લોગ. ગઝલ તો શું કોઈ પણ કાવ્ય પ્રકારમાં ચાંચ, હાથ, પગ, મોઢું બધું ડૂબવા માંડશે.

  2. ચૂનીલાલ તિલકરાય યાજ્ઞિક

    *** એટલે?

  3. ખાલી વિચિત્ર જ કેમ સચિત્ર પણ અજમાવોને !
    પ્રયોગમાં બધું ચાલે.

    • સચિત્ર બ્લોગ તો બહુ બધા છે. વિચિત્રની કમી હતી તે પૂરી થઈ છે. આવા સજેશન કરતા રહેજો.

  4. ગોમંડળને પાય લાગીને પ્રાસ લઉં છું
    ભગવતસિંહજી, ભવાં ભલે સહુ *** ખેંચે.

    ભગવતસિંહજી, ભવાં ભલે સહુ ચૂટીયા ખેંચે.

    ચૂટીયા કરી દો ને…?
    અર્થાત ચોટલી કે શીખા પન્ડિતો ને મોટ્ટી હોય ને ?
    જેને જે લાગે તે વિચિત્ર કાવ્યો..નામ ગમ્યું..એક રીતે જોઇએ તો જેને આપને સારા કાવ્યો કહીએ કે ઉત્તમ કહીયે તેય પણ વિચિત્ર કાવ્યઓ છે જ્યારે આ તો સિધુ વેધક કાવ્ય છે જાને કબીર ને અખા કહેતા હતાં..અને આ સન્સારના લક્ષણ વિષે પણ શાસ્ત્રકારો તેને વિચીત્ર જ કહે છે..ગીતામાં પણ ન સુપ મસ્યેહ તહ્તોપલભ્યતે નથી કહ્યું ? તમ તમારે થાવા દો
    વિચિત્ર સચિત્ર પરન્તુ મિત્રભાવે…
    છેલ્લે મારી પંક્તિ ને પધારજો મારા બ્લોગ પર….

    સન્સારનું સ્વરુપ પણ વિચિત્ર વરતાતું
    ને માનવીનું મન કદી ના સીધું ચાલતું

    http://leicestergurjari.wordpress.com/

    • ગજ્જર સાહેબ તમારી સેન્સ ઓફ હ્યુમર અને મુક્ત મન માટે માન થાય છે.
      વિશ્વ સાહિત્યની જેને થોડી ઘણી સમજ હશે એને આ બ્લોગમાં જરૂર રસ પડશે. અરે માત્ર ગુજરાતીમાં બક્ષીબાબુની કુત્તી પણ જેણે વાંચી હશે એને આ પ્રકારના કાવ્યો ગમશે.

      ભગવત ગોમંડળમાં ચુતિયા શબ્દ મુકવાનો મહરાજાને છોછ ન્હોતો એ વાત છેલ્લા શેરમાં કરી છે. ચોખલિયા કે નાકનું ટિચકુ ચડાવવાળા બ્લોગવાચકોનો રસ વધુ વિસ્તૃત થાય એ આ બ્લોગનો હેતુ છે.

  5. કવિ શ્રી વિચિત્રજી!

    અહીં બક્ષી અને ભગવદ્‌ગોમંડળ વાળા મહારાજાને ટાંકવાનું રહેવા દો.

    બક્ષીએ ‘કુત્તી’ નવલકથા ‘વિચિત્રકાન્ત બક્ષી’ના નામે નહોતી લખી. તેમજ તમે જે શબ્દને અજ્ઞાત બ્લોગ પર ફૂદરડીઓ વડે દર્શાવ્યો છે એ અને એવા શબ્દોની એક અલગ પૂરવણી ગોંડલના મહારાજાએ ‘વિચિત્રસિંહ ગોહિલ’ના નામે નહોતી બહાર પાડી.

    ડૉ. વિવેક મનહર ટેલરે વેશ્યાની ગઝલ પોતાના બ્લૉગ પર પોતાના નામે મૂકી હતી. (લિન્ક માટે અહીં ક્લિક કરો)…

    • આ કાવ્ય બ્લોગને અનુરૂપ છે. તેને યોગ્ય સમયે પ્રગટ કરવામાં આવશે. આ રીતે બીજા કાવ્યો શોધીને મદદ કરતા રહેજો.

  6. વિચિત્રજી તમારા કાયર મુખે બક્ષી સાહેબ અને મહારાજાનું નામ શોભતું નથી માટે બક્ષીબાબુને અને ગોંડલના મહારાજાને ટાંકવાનું રહેવા દો.

    • તમે તમારો મત જણાવ્યો એ માટે આભાર. મારા બ્લોગ પર મારે શું કરવું એની મને ખબર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s